ગુજરાતમાં ત્રણ દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ખેડૂતોમાં ચિંતાનાં વાદળો છવાયા છે.
બંગાળની ખાડી કે અરબી સમુદ્રમાં કોઈપણ સિસ્ટમ સક્રિય થાય તેની અસર ગુજરાતના વાતાવરણ ઉપર જોવા મળે છે. અરબી સમુદ્રમાંથી આવતા ભેજને કારણે પણ ગુજરાતના દરિયા કિનારાના તાપમાનમાં ફરક પડતો હોય છે તો સાથે જ બંગાળની ખાડીમાં પણ સિસ્ટમ સર્જાય ત્યારે ગુજરાતના વાતાવરણમાં પલટો આવે છે.
ચક્રવાતી તોફાન “મૈડૂસ” સંદર્ભે પવનની મહત્તમ ગતિ 85 કિમી પ્રતિ કલાકની ઝડપને પાર કરવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગે મંડસ ચક્રવાતને કારણે રેડ એલર્ટ જાહેર કર્યું છે. તમિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જ્યારે તેની અસર ગુજરાત પર પણ થવાની આગાહી છે. જેના કારણે ગુજરાતમાં ત્રણ દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ખેડૂતોમાં ચિંતાનાં વાદળો છવાયા છે.
આ અંગે હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહનથીએ પણ જણાવ્યું હતુ કે, રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઇ રહ્યા છે. ગુજરાતમાં હળવા વરસાદની સંભવના છે. 12 અને 13 ડિસેમ્બરે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય માવઠાની સંભાવના છે.
ડાંગ , વલસાડ, નવસારી અને તાપીમાં સામાન્ય વરસાદની શકયતા છે. બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય છે. જેના કારણે 12 અને 13 ડિસેમ્બરના સામાન્ય વરસાદની શકયતા છે.
આ સાથે જુનાગઢ કૃષિ યુનિ.ના હવામાન વિભાગે પણ આ અંગે જણાવ્યું હતુ. જેમાં તેમના જણાવ્યા મુજબ 10 ડિસેમ્બરની આજુબાજુ અરબી સમુદ્રમાં લોપ્રેસર થશે. જે આગળ જતા ઉત્તર પશ્ચીમ તરફ સાઈકલોન સરકયુલેશનમાં ગતી ફરશે. જેના ભાગરૂપે 11, 12, 13 ડિસેમ્બરના ગુજરાત સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં વાતાવરણમાં પલ્ટો આવી શકે છે. આ સાથે કમોસમી વરસાદ પડશે.
રાજ્યમાં વહેલી સવારે શિયાળાની ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ધીમે ધીમે ઠંડીનું જોર વધશે અને ડિસેમ્બરના અંતમાં તો કડકડતી ઠંડીનો અહેસાસ થશે. રાજ્યમાં લઘુતમ તાપમાન ગગડી રહ્યું છે.
અહીં ક્લિક કરો | |
અન્ય માહિતી માટે | અહી કિલક કરો |
નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો.
તમે આ લેખ agrobhai.in ના માધ્યમ થી વાંચી રહ્યા છો મિત્રો. આ લેખમાં સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમોથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે મિત્રો. માટે અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.